T20
(Photo by Gareth Copley/Getty Images)

આ વર્ષે વર્લ્ડ કપ જીત્યા પછી ભારત પહેલી વાર જુલાઈમાં ત્રણ મેચની T20I શ્રેણી માટે ઝિમ્બાબ્વે જશે. BCCIએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય પુરુષ ટીમ યજમાન ટીમ સામે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે અનુક્રમે 23, 25 અને 26 જુલાઈના રોજ ત્રણ મેચ રમશે.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ૨૦૨૬-૨૭ સીઝન માટે યોજાનારી બે દ્વિપક્ષીય શ્રેણીમાંથી  આ પ્રથમ હશે. ઝિમ્બામ્બેની ટીમ  ૩, ૬ અને ૯ જાન્યુઆરીએ કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈમાં રમાનારી ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરશે.

ભારતે ગયા મહિને અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને સતત બીજી વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે અગાઉ 2024 અને 2007માં ટી20 વર્લ્ડ કપ જીત્યો છે.ભારતે છેલ્લે 2024માં પાંચ મેચની T20I શ્રેણી માટે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો, જે તેમણે 4-1થી જીતી હતી.

/* */