Airplane interior sideview

ભારતની તમામ એરલાઇન્સને આગામી 20 એપ્રિલથી વિમાનમાં 60 ટકા બેઠકો કોઈ પણ વધારાના ચાર્જ વસૂલ્યા વગર ઉપલબ્ધ બનાવવા આપેલા આદેશને સરકારે હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. આનાથી મુસાફરોએ વિમાનમાં પોતાની મનગમતી સીટ માટે વધારાનો ચાર્જ ચુકવવો પડશે.

અગાઉ 18 માર્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડીજીસીએને નિર્દેશ આપી તમામ એરલાઈન્સને વિમાનમાં 60 ટકા બેઠકો કોઈ પણ વધારાનો ચાર્જ વસૂલ્યા વગર ફાળવવા આદેશ આપવા જણાવ્યું હતું. આ ઘટનાક્રમથી વાકેફ સૂત્રોના જણાવ્યાં અનુસાર, ફેડરેશન ઓફ ઈન્ડિયન એરલાઈન્સ તથા આકાસા એર દ્વારા કરાયેલી રજૂઆતના સંદર્ભમાં આ મામલે પુનઃવિચારણા કરાઈ હતી. તેમની રજૂઆતમાં એરલાઈન્સે જણાવ્યું હતું કે, ઉપરોક્ત આદેશને કારણે તેમના ભાડાં અને અન્ય વહીવટી બાબતો પર અસર થવાની શક્યતા રહેલી છે. ઉલ્લેખનીય છે કે, હાલની જોગવાઈઓ મુજબ, 20 ટકા બેઠકો કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર બૂક કરી શકાય છે.

સરકારે અગાઉ એક જ PNR પર મુસાફરી કરનારા મુસાફરોને ફ્લાઇટમાં બાજુ-બાજુમાં સીટ આપવાની પણ સૂચના આપી હતી. એરલાઇનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં 20 ટકા સીટો મફતમાં બુક કરાવી શકાય છે