લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા તા. 27 માર્ચના રોજ ઈન્ડિયા હાઉસ ખાતે પ્રતિષ્ઠિત ઈદ મિલન મિલનનું શાનદાર આયોજન કરવામા આવ્યું હતું, જેમાં એકતા અને સાંસ્કૃતિક વારસાના મૂલ્યોની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં લંડનના મેયર સર સાદિક ખાન, લેડી ખાન, લોર્ડ તારિક અહમદ અને લેડી અહમદ, બેરોનેસ હજારિકા, માલદીવના હાઈ કમિશનર ડૉ. ઈરુતિશામ આદમ, કુવૈતના રાજદૂત બદર અલમુનાયેખ સહિત વરિષ્ઠ રાજદ્વારીઓ, સંસદસભ્યો અને સમુદાયના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચ કક્ષાના મહેમાનોએ યુકેની સમૃદ્ધિ અને સામાજિક માળખામાં ભારતીય ડાયસ્પોરાના “સ્થાયી યોગદાન”ની પ્રશંસા કરી હતી.
હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ‘’ઈદ-ઉલ-ફિત્ર જેવા તહેવારો કૃતજ્ઞતા અને આશાને મૂર્તિમંત કરે છે – વૈશ્વિક મૂલ્યો જે વૈશ્વિક સ્તરે 1.4 બિલીયન ભારતીયોને જોડે છે. તેમણે નોંધ્યું હતું કે ભારત-યુકેના ઊંડા સંબંધો એક સહિયારા ઇતિહાસ અને 1.8 મિલિયન-મજબૂત બ્રિટિશ ભારતીય ડાયસ્પોરાના જીવંત ભાવના દ્વારા અનન્ય રીતે આકાર પામેલા છે.’’
ભવન લંડનના ભાવનાત્મક સંગીત પ્રદર્શન રજૂ કરાયું હતું અને તેના શિક્ષકો ઉસ્તાદ મહેબૂબ (સિતાર) અને હનીફ ખાન (તબલા) પર કૃષ્ણ ભજન અને રાગ ભૈરવથી લઈને “દમા દમ મસ્ત કલંદર”ના ઉત્સાહી સમાપન સુધીના વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા.















