(Photo by STRDEL/AFP via Getty Images)

આશા ભોસલે અને લતા મંગેશકર વચ્ચેના સંબંધ ભારતીય સંગીત જગતના સૌથી ભવ્ય અને જટિલ રહ્યાં હતાં. બંને સગી બહેનો હતી, પરંતુ શરૂઆતના વર્ષોમાં તેમની વચ્ચે ઘણું અંતર હતું. લતાએ તેમની બહેનના ૧૬ વર્ષની ઉંમરે વહેલા લગ્નનો વિરોધ કર્યો હતો. લતાની મહાનતાના પડછાયામાં આશાએ પોતાની એક અનોખી ઓળખ ઊભી કરવામા સફળ થયા હતાં. તેમની વ્યાવસાયિક હરીફાઈ હોવા છતાં તેઓ એકબીજાની ગાયકીનો આદર કરતાં હતાં.

ફિલ્મ ઉદ્યોગમાં કામના મુદ્દે બંને વચ્ચે ઘણીવાર દુશ્મનાવટની ચર્ચા થતી હતી, પરંતુ તેમણે ક્યારેય ખુલ્લેઆમ તેનો સ્વીકાર કર્યો ન હતો. લતાએ શાસ્ત્રીય અને સુમધુર ગીતોમાં પોતાની છાપ છોડી, જ્યારે આશા ભોસલેએ ઓ. પી. નૈયર અને આર. ડી. બર્મન સાથે મળીને પ્રાયોગિક (કેબરે, જાઝ) ગીતોમાં એક અલગ રસ્તો પસંદ કર્યો હતો. સમય જતાં તેમના સંબંધો વધુ ઉષ્માભર્યા બન્યાં હતાં. આશા હંમેશા લતાને “લતા દીદી” કહીને સંબોધતાં અને તેમને પોતાના આદર્શ માનતાં હતાં. મૃત્યુના ૫-૬ મહિના પહેલા લતાજીએ આશાને તેમની પસંદગીની જૂની સાડી પર ઓટોગ્રાફ આપી ભાવનાત્મક ભેટ આપી હતી.

દાયકાઓ સુધી એવી ચર્ચાઓ ચાલતી રહી કે લતા મંગેશકર અને આશા ભોસલે વચ્ચે અણબનાવ છે, જોકેએ આશા ભોંસલેએ પોતે એક ઈન્ટરવ્યુમાં આ બાબતે ખુલાસો કર્યો હતો કે તેમની વચ્ચે તંદુરસ્થ હરીફાઈ હતી. આશા ભોસલે પહેલાથી સમજાઈ ગયું હતું કે જો તેઓ પોતાની અલગ ઓળખ નહીં બનાવે, તો લતા મંગેશકરના પ્રભુત્વ વચ્ચે તેમનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બનશે. આ માટે તેમણે અંગ્રેજી ફિલ્મોના મ્યુઝિક એલિમેન્ટ્સ પોતાની ગાયકીમાં ઉમેરવાનું શરૂ કર્યું હતું.

આશા ભોસલેના જણાવ્યા મુજબ બંને બહેનો સાથે રેકોર્ડિંગ કરતી ત્યારે એકબીજાની શૈલી પર બારીકાઈથી નજર રાખતી હતી. બંનેએ સાથે મળીને 80થી વધુ હિન્દી ગીતો ગાયા હતાં, જેમાં ‘મન ક્યોં બહકા’ અને ‘મેં ચલી મેં ચલી’ જેવા સદાબહાર ગીતોનો સમાવેશ થાય છે.

આઠ દાયકાની લાંબી કારકિર્દીમાં આશા ભોસલેએ અનેક સન્માન મેળવ્યા છે જેમાં ભારતના સર્વોચ્ચ સન્માન પૈકીના એક પદ્મ વિભૂષણ ઉપરાંત દાદા સાહેબ ફાળકે એવોર્ડ, 2 નેશનલ એવોર્ડ અને 8 ફિલ્મફેર એવોર્ડ્સ, 18 મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સ સહિતનાં અનેક એવોર્ડ્સનો સમાવેશ થાય છે.