અમદાવાદ ખાતેનું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ (TWITTER IMAGE POSTED BY @pib on MONDAY, ) (PTI Photo)

આ વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં યોજાવાની છે અને સ્પર્ધાનો ભવ્ય સમાપન સમારંભ પણ યોજાશે. અભિનેતા રણવીર સિંઘ અને સંગીતસમ્રાટ એ. આર. રહમાન સમારંભમાં ધૂમ મચાવશે. ફાઈનલ ૨૯મી મેએ યોજાશે.
રણવીરની સાથે બોલીવૂડના અન્ય કેટલાક સ્ટાર્સ પણ જોડાય તેવી અપેક્ષા છે. આ અંગેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઇના પ્રેસિડેન્ટ ગાંગુલીને ટાંકીને ચમકેલા એક મીડિયા રીપોર્ટ મુજબ સમારંભમાં ભારતીય ક્રિકેટની વિકાસયાત્રા દર્શાવતો એક શૉ પણ આયોજીત કરાશે. ભારત હાલ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, તેને અનુરૂપ આ ખાસ શૉનું આયોજન કરાશે.

આઇપીએલની પ્રથમ ક્વોલિફાયર ૨૪મી મેએ અને એલિમિનેટર ૨૫મી મે ના રોજ યોજાશે. આ મેચો કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ૨૭મી મે ના રોજ અમદાવાદમાં બીજી ક્વોલિફાયર રમાશે. જ્યારે ૨૯મી મે ના રોજ ફાઈનલ રમાશે.ફાઇનલ માટે ભારતના ભૂતપૂર્વ સુકાનીઓને પણ આમંત્રણ અપાશે.