(ANI Photo)

સોનાલી બેન્દ્રે ‘ધ બ્રોકન ન્યૂઝ’ સીરિઝથી ડિજિટલ ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યા છે. પાતાલ લોક સ્ટાર જયદીપ અહલાવત અને ગિલ્ટી માઈન્ડ્સની અભિનેત્રી શ્રીયા પિલગાંવકર પણ તેમની સાથે જોવા મળશે. 2018માં આવેલી પોપ્યુલર બ્રિટિશ સીરિઝ પ્રેસના આધારે તેની સ્ટોરી ડેવલપ કરવામાં આવી છે.

નેટફ્લિક્સ સિરિઝ અરણ્યકના દિગ્દર્શક વિનય વાઈકુલ ધ બ્રોકન ન્યૂઝના ડાયરેક્ટર છે. નિર્માતાના જણાવ્યા મુજબ, આ સીરિઝમાં મુંબઈસ્થિત બે ન્યૂઝ ચેનલ–આવાઝ ભારતી અને જોશ 24 વચ્ચેની હરિફાઈ અને દુશ્મનીની સ્ટોરી છે. આવાઝ સ્વતંત્ર અને એથિકલ ન્યૂઝ ચેનલ છે, જ્યારે જોશને સેન્સેશનલ અને ઈનવેઝિવ જર્નલિઝમ પસંદ છે. બંને ચેનલના મેઈન કેરેક્ટર્સ ન્યૂઝ શોધવા સંઘર્ષ કરી રહ્યા છે. સોનાલી બેન્દ્રે 1990ના દાયકાની સફળ અભિનેત્રી છે. સરફરોશ, દિલજલે, મેજર સાબ જેવી ફિલ્મો બાદ છેલ્લે તેણે 2013માં વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ દોબારામાં કેમિયો કર્યો હતો. કેન્સરની બીમારીમાં બહાર આવનારી સોનાલીએ 2014માં અજીબ દાસ્તાન હૈ સિરિયલથી ટીવીના પડદે પ્રવેશ કર્યો હતો. કેટલાક રિયાલિટી શોમાં પણ જજ તરીકે કામ કર્યુ હતું. ઝીફાઇવ અને બીબીસી સ્ટુડિયોઝ ઈન્ડિયા દ્વારા આ સિરિઝનું નિર્માણ કરવામાં આવશે.