બિહારમાં અલગ-અલગ જિલ્લાઓમાં મંગળવાર, 28 જૂને વીજળીના પડવાથી 22 લોકોના મોત થયા હતા. સૌથી વધારે સારણમાં 5 લોકોના મોત થયા હતા. ભોજપુરમાં 4 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત બક્સર, નવાદા, પશ્ચિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, મુઝફ્ફરપુર, અરરિયા, અને બાંકા જિલ્લામાં પણ વીજળીની લપેટમાં આવવાથી લોકોના મેત થયા હતા

સારણમાં મૃતક 5 લોકોમાં માતા-પુત્રી પણ સામેલ હતા. ભોજપુર જિલ્લાના મુફસ્સિલ, ટાઉન, પીરો અને સંદેશ વિસ્તારમાં મંગળવારે વીજળીનો કહેર જોવા મળ્યો હતો. ત્યાં કુલ 4 લોકોના વીજળીની લપેટમાં આવવાથી મોત થઈ ગયા હતા. બક્સર અને નવાદા જિલ્લામાં પણ અલગ-અલગ સ્થળો પર એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું પૂર્વી ચંપારણ જિલ્લાના પલનવા, છૌડદાનો અને સુગૌલીમાં પણ મંગળવારે વીજળી પડી હતી. આ બંને જિલ્લાઓમાં 2 બાળકો સહિત 6 લોકોના મોત થયા હતા. મુઝફ્ફરપુર જિલ્લામાં વીજળીની લપેટમાં આવવાથી 2 લોકોના મોત થઈ ગયા હતા.