Raj Thackeray
. (ANI Photo)

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ ઠાકરેએ મંગળવારે ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માનું મહંમદ પયગંબર વિશેના તેમના નિવેદન મામલે સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇકે અગાઉ જ વાત કહી હતી, પરંતુ કોઇએ તેમને માફી માગવાની વાત કરી નહતી. દરેક લોકો નુપુર શર્માને માફીની માગણી કરે છે. હું તેમને સમર્થન આપું છું.

ઠાકરેએ હિન્દુ દેવતાઓના નામોને કથિત રીતે બગાડવા બદલ ઓવૈસી ભાઇઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની સામે કોઇ પગલા લેવાયા નહતા. તેમનો ઉલ્લેખ કરતાં ઠાકરેએ અપશબ્દ પણ બોલ્યા હતા. એમએનએસના વડાએ પોતાના પિતરાઇ ભાઇ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની પણ ટીકા કરી હતી.