India's GDP dangerously close to Hindu rate of growth: Raghuram Rajan
(Photo by NICHOLAS KAMM/AFP via Getty Images)

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને મંગળવારે જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક વૃદ્ધિને પ્રભાવિત કરવા માટે ભારત ચીનની જગ્યાએ લેશે તે વિચારવું કસમયનું ગણાશે.  હશે, પરંતુ ભવિષ્યમાં પરિસ્થિતિ બદલાઈ શકે છે.

રાજને વર્લ્ડ ઇકોનોમિક ફોરમનીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ચીનની અર્થવ્યવસ્થામાં થોડો સુધારો પણ વૈશ્વિક વૃદ્ધિની સંભાવનાઓને વેગ આપશે. હજુ ૧૨ મહિના બાકી છે અને આ સમયગાળા દરમિયાન ચીનમાં સુધારો થાય તે સારી બાબત હશે.

ભારત વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાજને કહ્યું, ભારત ચીનનું સ્થાન લેશે તેવી દલીલ અપરિપક્વ છે. તેનું કારણ એ છે કે ચીનની સરખામણીમાં ભારતની અર્થવ્યવસ્થા હજુ પણ ઘણી નાની છે. પરંતુ સમયની સાથે પરિસ્થિતિ બદલાઈ શકે છે. ભારત પહેલાથી જ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તે તેની વૃદ્ધિ ચાલુ રાખી શકે છે. રાજને કહ્યું કે હાલમાં નીતિ ઘડનારાઓની નજર શ્રમ બજાર સિવાય હાઉસિંગ સેક્ટર પર ટકેલી છે. અમેરિકાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, ત્યાં મકાનોનું વેચાણ ન થયું હોવા છતાં ભાવ ઘટી રહ્યા નથી. તેમણે કહ્યું કદાચ નહીં, જો પુતિન યુદ્ધ સમાપ્ત કરવાનું નક્કી કરે છે, તો વસ્તુઓ ચોક્કસપણે સુધરશે.

LEAVE A REPLY

20 − ten =