પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતમાં આશરે 16 વર્ષ પછી બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે દેશની આઝાદી પછી પ્રથમ વખત જાતિઓની પણ ગણતરી થશે. દેશમાં પહેલી ઓક્ટોબર 2026ની રેફરન્સ તારીખથી જાતિ ગણતરી સાથે બે તબક્કામાં વસ્તીગણતરી કરવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કામાં પહેલી ઓક્ટોબર 2026ની રેફરન્સ તારીખથી લદ્દાખ જેવા રાજ્યોમા વસ્તી ગણતરી થશે. આ પછી પહેલી માર્ચ 2027ના રેફરન્સ તારીખથી સમગ્ર દેશમાં આ કવાયત હાધ ધરાશે. બીજા તબક્કાની વસ્તી ગણતરી ફેબ્રુઆરી 2027માં હાથ ધરાશે અને આ કવાયત પહેલી માર્ચ 2027માં પૂરી થશે.

આ જાહેરાત કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી-2027 બે તબક્કામાં જાતિઓની ગણતરી સાથે હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. સરકાર વસ્તીગણતરીનું નોટિફિકેશન 16 જૂને જારી કરશે અને તેની સાથે આ કવાયત ચાલુ થશે.

અગાઉ 2011માં વસ્તીગણતરી કરાઈ હતી. આ મેગા કવાયતમાં આશરે 30 લાખ કર્મચારીઓ અને સુપરવાઇઝર્સને સામેલ કરાશે.2011ની વસ્તી ગણતરી મુજબ દેશની વસ્તી 1.21 અબજ હતી. તેમાં 51.45 ટકા પુરુષો અને 48.46 ટકા સ્ત્રીઓ હતી.

મંત્રાલયે જણાવ્યું હતું કે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર જેવા કેન્દ્રશાસિત પ્રદેશો તથા હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યમાં પહેલી ઓક્ટોબર 2026થી વસ્તીગણતરી હાથ ધરાશે.

છેલ્લી જાતિ આધારિત વસ્તીગણતરી 1881થી અને 1931 વચ્ચે બ્રિટિશ રાજ દરમિયાન હાથ ધરવાઈ હતી. યુપીએ સરકાર દરમિયાન 2011માં સામાજિક-આર્થિક અને જાતિ ગણતરી કરાઈ હતી, પરંતુ તેના આંકડા સંપૂર્ણપણે જાહેર કરાયા ન હતાં. બિહાર અને તેલંગાણાએ છેલ્લા ત્રણ વર્ષમાં જાતિ સર્વેક્ષણો કર્યા છે.
નહીં.

LEAVE A REPLY