ભારતમાં કોવિડ-૧૯ના એક્ટિવ કેસની સંખ્યાં 4,000નો આંક વટાવી ગઈ છે. કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં પણ મોટાપાયે કેસો નોંધાયા છે, એમ આરોગ્ય મંત્રાલયના મંગળવારના ડેટામાં જણાવ્યું હતું.
આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશમાં ૩૭ લોકોના મોત નોંધાયા છે. ૨૨ મેના રોજ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૫૭ હતી. ૩૧ મે સુધીમાં આ આંકડો વધીને ૩,૩૯૫ થયો હતો અને ત્યારબાદ ૪,૦૨૬ કેસ થયા છે. હાલમાં, કેરળમાં ૧,૪૪૬ સક્રિય કેસ છે, જે દેશમાં સૌથી વધુ છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૪૯૪, ગુજરાતમાં ૩૯૭ અને દિલ્હીમાં ૩૯૩ કેસ છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી પાંચ મૃત્યુ નોંધાયા હતો. કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એક-એક અને મહારાષ્ટ્રમાં બે મૃત્યુ નોંધાયું હતું. ૩૧ મેના રોજ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ચેપની તીવ્રતા ઓછી છે, મોટાભાગના દર્દીઓ ઘરે જ સારવાર હેઠળ છે અને ચિંતા કરવાનું કોઈ કારણ નથી.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે સોમવારે જણાવ્યું હતું કે પશ્ચિમ અને દક્ષિણના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગથી જાણવા મળ્યું છે કે કેસોમાં હાલના વધારા તરફ દોરી જતા વેરિયન્ટ ગંભીર નથી અને તે ફક્ત ઓમિક્રોનના પેટા પ્રકારો છે.
