(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

ઘણા લાંબા સમયથી એવી ચર્ચા થતી હતી કે આમિર ખાન મહાભારત પર આધારિત સીરિઝ અથવા ફિલ્મ બનાવાનું વિચારે છે. તે ઓટીટી પ્લેટફોર્મ પર તેની સીરીઝ બનાવવાનું તેનું આયોજન હતું. પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે, તેણે હવે આ પ્રોજેક્ટ પડતો મુક્યો છે. તેને અત્યારે આ વિષય પર કામ ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે, તેણે આ અંગે અધિકૃત જાહેરાત કરી નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમિર આ પ્રોજેક્ટ વિશે દરેક બાબતો વિચારીને તેને પડતો મુકવાનો નિર્ણય કર્યો છે. કારણે કે, આ માટે તેણે પાંચ વર્ષ જેટલો લાંબો સમય તેમાં આપવો પડે તેમ હોવાથી તેને બિઝનેસ માટે અયોગ્ય લાગ્યું હતું. તેનું માનવું છું કે, પાંચ વર્ષમાં તે ત્રણેક ફિલ્મો કરીને સારી આવક મેળવી શકે તેમ છે, તેથી હવે તેને મહાભારત આધારિત પ્રોજેક્ટમાં રસ રહ્યો નથી. એવું પણ કહેવાય છે કે, આ પ્રોજેક્ટમાં વિવાદ થવાની આશંકા હોવાથી તેણે તેમાં આગળ ન વધવાનો નિર્ણય લીધો છે.