UP Prime Minister Yogi Adityanath
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (ફાઇલ ફોટો) (Photo by LUDOVIC MARIN/AFP via Getty Images)

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી હુમલો કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. યોગીને બોંબથી ઉડાવી દેવાનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમની વોટ્સએપ હોટલાઇન પર બે ઓગસ્ટે મળ્યો હતો, એમ અધિકારીઓએ આઠ ઓગસ્ટે જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર ધમકી આપનાર વ્યક્તિએ તેનું નામ શાહિદ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, ત્રણ દિવસમાં યોગીને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ અંગે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમ યુપી-112ના ઓપરેશન કમાન્ડર સુભાષ કુમારે FIR નોંધાવી હતી.