અમદાવાદમાં ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ ક્રેશ થયેલા એર ઇન્ડિયાના બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરનો કાટમાળ REUTERS/Amit Dave

અમદાવાદ એરપોર્ટ પરથી ગુરુવાર, 12 જૂને 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે લંડનના ગેટવિક એરપોર્ટ જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ગીચ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર એક મુસાફર સહિયના  તમામ 241 મુસાફરો અને ક્રુ મેમ્બર્સના મોત થયા હોવાનો આશંકા છે. જોકે હજુ સુધી જાનહાનિ કે ઘાયલોનો કોઇ સત્તાવાર આંકડો જાહેર કરાયો નથી.પ્રાથમિક જાણકારી અનુસાર જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે. સીટ નંબર 11A પર બેઠેલા મુસાફરનો બચાવ થયો હતો.

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું. આ વિમાન દુર્ઘટનામાં પોલીસ જવાનને 11A સીટ બેઠેલો એક મુસાફર જીવિત મળ્યો છે.

આ દુર્ઘટનાગ્રસ્ત એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171માં 169 ભારતીયો, 53 બ્રિટિશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો સવાર હતાં. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સવાર હતાં. ડીજીસીએના જણાવ્યા અનુસાર, અમદાવાદ એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં 232 મુસાફરો અને 10 ક્રૂ સભ્યો હતાં.

આ બોઇંગ 787 ડ્રીમલાઇનરના પાયલોટે ટેકઓફ પછી તરત જ ‘મેડે’ ડિસ્ટ્રેસ કોલ જારી કર્યો હતો, જે સંપૂર્ણ કટોકટીનો સંકેત આપે છે. આ ટ્વીન-એન્જિન વાઇડ બોડી વિમાને ઉડાન ભર્યાની થોડી મિનિટમાં ઝડપથી ઊંચાઈ ગુમાવીને ધડાકાભેર ક્રેશ થયું હતું. ક્રેશ થતાં સાથે ભયાનક આગ લાગી હતી અને કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યાં હતાં.

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક મેઘાણીનગરમાં સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજના ડોકટરો અને નર્સિંગ સ્ટાફના રહેણાંક નિવાસસ્થાન પાસે વિમાન ક્રેશ થયું હતું.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ના એક નિવેદનમાં જણાવાયું હતું કે વિમાન અમદાવાદથી રનવે 23થી 1339 IST (0809 UTC) વાગ્યે રવાના થયું હતું. તેને ATCને MAYDAY કોલ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ ATC દ્વારા કરવામાં આવેલા કોલનો કોઈ જવાબ વિમાન દ્વારા આપવામાં આવ્યો ન હતો.

કાટમાળમાં બળી ગયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા હતાં અને ઘાયલોને જેમાં ઘણા દાઝી ગયા હતા, નજીકના શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કે ઘાયલ થયેલા લોકોનો કોઈ સત્તાવાર આંકડો જાહેર થયો નથી, પરંતુ તે 2020 પછી ભારતની બીજી સૌથી મોટી હવાઈ દુર્ઘટના હતી. 2020માં કેરળના કોઝિકોડ ખાતે લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ ભીના રનવે પરથી લપસી ગઈ અને બે ટૂકડા થઈ ગઈ હતી. વિમાનમાં સવાર 190 લોકોમાંથી, બે પાઇલટ સહિત 21 લોકોએ જીવ ગુમાવ્યા હતાં.

આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરના નેતૃત્વ હેઠળ હતું.. ડીજીસીએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સભરવાલને 8,200 કલાકનો ઉડાનનો અનુભવ છે, જ્યારે કુંદરને 1,100 કલાકનો ઉડાનનો અનુભવ છે.

LEAVE A REPLY