અદાણી ગ્રુપના સંચાલન હેઠળના મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સોમવારે શિવસેના કાર્યકર્તાઓએ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. (PTI Photo)

અદાણી ગ્રુપના સંચાલન હેઠળના મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સોમવારે શિવસેના કાર્યકર્તાઓએ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન કાર્યકર્તાઓએ એરપોર્ટ પર લાગેલું અદાણી એરપોર્ટનું બોર્ડ પણ તોડી નાંખ્યું હતું.

શિવસેનાનો આક્ષેપ છે કે, મુંબઇ એરપોર્ટ ‘છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ’ નામથી ઓળખાતું હતું. પરંતુ હવે અહીં અદાણી એરપોર્ટનું બોર્ડ લગાવી દેવાયું છે. જે બિલકુલ પણ સહન કરવામાં આવશે નહીં. મુંબઇ એરપોર્ટના વીઆઇપી ગેટ પર અદાણી એરપોર્ટ નામનું બોર્ડ લગાવામાં આવ્યું હતું. બોર્ડ પર છત્રપતિ શિવાજી મહારાજનું નામ ના હોવાને કારણે શિવસેના ભારે રોષે ભરાઇ હતી.