સતત 29 વર્ષથી શાંતિ,સદભાવ અને સંવાદિતતાનો સંદેશ પ્રસરાવતું ગાંધીનગરસ્થિત ભારતીય સાંસ્કૃતિક પરિસર ‘અક્ષરધામ’ દિવાળીના પર્વે દર વર્ષે 10 હજાર દીવડાઓના શણગાર વચ્ચે દૈદીપ્યમાન બની ઊઠે છે.
દિવાળીથી લાભપાંચમ સુધી દરરોજ સાંજે ૬થી ૭.૪૫ વાગ્યા સુધી દર્શનાથીઓ આ નયનરમ્ય અને આાહલાદક દર્શનને માણી શકશે. અક્ષરધામ પરિસરના તમામ વિભાગો (પ્રદર્શનો તથા વોટર શો વગેરે તા.૮-૧૧-૨૦૨૧ સોમવારના દિવસે ખુલ્લા રહેશે.દર્શનાર્થીઓ દરરોજ સાંજે વોટર શો પણ માણી શકશે.