(Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

અભિનેતા અક્ષય કુમારે પોતાની આવનારી ફિલ્મ બેલ બોટમનું શૂટિંગ હમણાં જ પુરુ કર્યું છે. હવે તે આ પછીની તેની આગામી ફિલ્મ પૃથ્વીરાજનું શૂટિંગ શરૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે માનુષી છિલ્લર કામ કરી રહી છે. માનુષી ગયા સપ્તાહે યશરાજ સ્ટુડિયો પાસે જોવામાં આવી હતી.

માનુષી આ ફિલ્મમાં સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે અને તેણે પોતાના પાત્રની તૈયારીઓ અને રિહર્સલ શરૂ કરી દીધા છે. તેણે હાલમાં જ ફિલ્મના દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી સાથે પણ મુલાકાત કરી હતી. માનુષી આ ફિલ્મથી પોતાની કારકિર્દી શરૂ કરી રહી છે.
તેણે જણાવ્યું હતું કે, હાલ તો હું નાનામાં નાની ચીજની તાલીમ લઇ રહી છું જેમાં મને બહુ આનંદ આવી રહ્યો છે. મારી તો હજી આ પા પા પગલી છે, મારે ભવિષ્યમાં ઘણું આગળ વધવાનું છે. અભિનેત્રી બનવા માટે ઘણા ગુણ હોવા જરૂરી છે. આ માટે કઠિન પરિશ્રમ મારે કરવો પડશે. યશરાજ જેવા ટોચના બેનરે મારા પર ભરોસો રાખ્યો છે એ જ મારા માટે મહત્વની વાત છે.