વિશ્વવિખ્યાત વાર્ષિક અમરનાથ યાત્રાનો 3 જુલાઈથી પ્રારંભ થશે અને 57 દિવસ પછી 28 ઓગસ્ટે પૂર્ણ થશે. આ યાત્રા માટે 15 એપ્રિલથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થશે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે 13થી 70 વર્ષની ઉંમરના યાત્રાળુઓ યાત્રામાં ભાગ લઈ શકે છે અને નોંધણી 15 એપ્રિલથી શરૂ થશે. અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટે પૂર્ણ થશે. આ વર્ષે યાત્રાનો સમયગાળો થોડો વધુ હશે અને તે લગભગ 57 દિવસ ચાલશે
શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ની બેઠકમાં યાત્રાની તારીખો નક્કી કરવામાં આવી હતી, જેની અધ્યક્ષતા સિંહાએ કરી હતી.
યાત્રા માટે નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે અને તે 15 એપ્રિલથી શરૂ થશે. યાત્રાળુઓ માટે ન્યૂનતમ ઉંમર 13 વર્ષ અને મહત્તમ 70 વર્ષ નક્કી કરવામાં આવી છે. નોંધણી દેશભરની લગભગ 556 નિર્ધારિત બેંક શાખાઓમાં કરી શકાય છે, તેમજ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઇન નોંધણી પણ ઉપલબ્ધ રહેશે. યસ બેન્ક, ICICI બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, અને એક્સિસ બેન્ક તેમની શાખાઓ મારફતે નોંધણી પ્રક્રિયામાં મદદ કરશે
લેફ્ટનન્ટ ગવર્નરે જણાવ્યું કે પ્રથમ પૂજા 19 જૂને જ્યેષ્ઠ પૂર્ણિમાના અવસરે કરાશે. યાત્રા બે માર્ગોથી શરૂ થશે. તેમાં પરંપરાગત 48 કિમીનો નુનવન-પહેલગામ માર્ગ (અનંતનાગ જિલ્લામાં) અને 14 કિમીનો ટૂંકો પરંતુ ચડાણવાળા બાલટાલ માર્ગ (ગાંદરબલ જિલ્લામાં)નો સમાવેશ થાય છે.














