એમેઝોન
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

એમેઝોને ગયા સપ્તાહે ભારતમાં એર કાર્ગો સર્વિસ ચાલુ કરી છે. કંપનીએ તેના ઝડપથી વિકસતા ઈ-કોમર્સ વેચાણ વચ્ચે તેના એક મુખ્ય બજારોમાં ડિલિવરીનું વિસ્તરણ અને ઝડપ વધારવાની યોજના બનાવી છે.  

એમેઝોન ગ્લોબલ એરના વાઇસ પ્રેસિડેન્ટ સારાહ રોડ્સે જણાવ્યું હતું કે કંપનીએ ભારતીય કાર્ગો કેરિયર ક્વિકજેટમાં રોકાણ કર્યું છે. કંપની ભારતના ચાર મુખ્ય શહેરોમાં પેકેજ ટ્રાન્સપોર્ટ કરશે.  કાર્ગો સર્વિસિના ઉપયોગ કરવાના પગલાથી ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં ડિલિવરીનો સમય ઘટાડીને એમેઝોનને ખર્ચ ઘટાડી શકશે.  

યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ પછી ભારત ત્રીજું બજાર છે, જ્યાં કંપનીએ એમેઝોન એર લોન્ચ કરી છે. સિએટલ-મુખ્યમથક ધરાવતી કંપનીએ યુનાઇટેડ સ્ટેટ્સમાં 2016માં આ સર્વિસ શરૂ કરી હતી, તે 110 થી વધુ જેટનું નેટવર્ક ચલાવે છે જે વિશ્વભરમાં 70 થી વધુ સ્થળોએ ઉડે છે 

/* */

બેંગલુરુ સ્થિત માલવાહક કેરિયર યુરોપના ASL એવિએશનનું એકમ છે. તે પહેલાથી  એમેઝોન માટે એક વિમાન ચલાવે છે અને મંગળવારથી મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ સહિતના શહેરોમાં તેનું બીજું વિમાન શરૂ કરશે. 

LEAVE A REPLY