ઇઝરાયેલમાં 22 જૂને 2024નો રોજ ઇરાના મિસાઇલ હુમલામાં તેલ અવીવ ખાતેની ઇમારતને નાશ થયો હતો. REUTERS/Violeta Santos Moura

ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે 13 જૂનથી ચાલુ રહેલા હવાઇયુદ્ધમાં આખરે અમેરિકાએ ઝંપલાવ્યું હતું. અમેરિકાના બોંબર વિમાનોએ ઇરાનની ત્રણ પરમાણુ મથકો હુમલો કરીને તેને બદબાદ કર્યો હતો. અમેરિકાના આ હુમલા પછી ઇરાન અને ઇઝરાયેલા એકબીજા પર હવાઇ હુમલા કર્યાં હતાં.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિવિઝન પર પ્રસારિત ઓવલ ઓફિસ સંબોધનમાં જણાવ્યું હતું કે અમેરિકન યુદ્ધ વિમાનોએ ફોર્દો, નતાન્ઝ અને એસ્ફહાન પર “ખૂબ જ સફળ હુમલો” કર્યો હતો. ઈરાનના મુખ્ય પરમાણુ સંવર્ધન સેન્ટરોન સંપૂર્ણપણે બરબાદ થયા છે. આ હુમલાઓ એક અદભુત લશ્કરી સફળતા છે.

ઇરાનને હવે શાંત રહેવાની અપીલ કરવાની સાથે ટ્રમ્પે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે જો તે વળતા હુમલા કરતાં તો ભવિષ્યના હુમલા ઘણા મોટા હશે. હવે શાંતિ સ્થપાશે અથવા તો ઇરાનમાં છેલ્લાં આઠ દિવસમાં જોવી મળી છે તેના કરતા વધુ તબાહી થશે. હજુ ઘણા ટાર્ગેટ બાકી છે. જો શાંતિ ઝડપથી નહીં આવે, તો અમે ચોકસાઈ, ઝડપ અને કુશળતાથી તે અન્ય લક્ષ્યોનો પીછો કરીશું. તેમાંથી મોટાભાગનાને થોડી મિનિટોમાં નાશ કરી શકાય છે.

અમેરિકાના હુમલાના કલાકો પછી, ઈરાને ઈઝરાયલ પર નવો મિસાઈલ હુમલો કર્યો, જેમાં ૧૧ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈરાની સશસ્ત્ર દળોએ હાઈફા અને તેલ અવીવ પર ૨૦ થી વધુ મિસાઈલ છોડ્યા હોવાના અહેવાલ છે, જેમાં ઓછામાં ઓછા ૧૧ લોકો ઘાયલ થયા છે.

અગાઉ શનિવારે ઇઝરાયેલે રાન પરના હવાઇ હુમલાને વધુ તીવ્ર બનાવીને ઇસ્ફહાન ખાતેના પરમાણુ સંશોધન સેન્ટરને ફુંકી માર્યું હતું અને વધુ ત્રણ સિનિયર કમાન્ડર્સને મોતને ઘાટ ઉતર્યા હતાં. ઇઝરાયેલે તેના આર્મી વડાને લાંબા મિલિયરી અભિયાન માટે તૈયાર કરવાની પણ તાકીદ કરી હતી. છેલ્લા નવ દિવસમાં ઈઝરાયલી હુમલાઓમાં ઇરાનમાં 400થી વધુ લોકોના મોત થયાં છે અને બીજા 3,056 ઘાયલ થયા છે.

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (IDF)એ જણાવ્યું હતું કે તેને રાત્રે ઈરાનમાં ત્રણ વરિષ્ઠ કમાન્ડરોને મોતને ઘાટ ઉતાર્યા હતાં. તેમાંથી એક સઈદ ઇઝાદી હતો, જે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની શાખા કુદ્સ ફોર્સમાં પેલેસ્ટાઇન કોર્પ્સનો કમાન્ડર હતો. ઈરાન અને હમાસ વચ્ચેના મુખ્ય સંકલનકાર ઇઝાદીનું ઈરાનના કોમ પ્રાંતમાં મોત થયું હતું. તે 7 ઓક્ટોબરના હમાસના હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર પણ હતો.

પશ્ચિમ ઇરાનમાં ઇઝરાયેલના હવાઇ હુમલામાં IRGCમાં કુદ્સ ફોર્સના વીન ટ્રાન્સફર યુનિટના કમાન્ડર બેહનમ શહરિયારીનું પણ મોત થયું હતું. શનિવારે સવારે IDFએ જણાવ્યું હતું કે તેના હવાઇદળે દક્ષિણપશ્ચિમ ઈરાનમાં અમીનપુર જૌદાકી પર હુમલો કર્યો હતો.

બીજી તરફ ઇઝરાયલી આર્મીના મુખ્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રીને જણાવ્યું હતું કે ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ એયાલ ઝમીરને લાંબા અભિયાન માટે તૈયાર રહેવાની સૂચના અપાઈ છે. અમે અમારા હુમલાઓને વધુ તીવ્ર બનાવી રહ્યા છીએ અને અમને મોટી સફળતા મળી રહી છે. જ્યાં સુધી ખતરો દૂર ન થાય ત્યાં સુધી અમે ચાલુ રાખીશું. ઇઝરાયેલ ઇરાનના પરમાણુ મથકો, પરમાણુ સંવર્ધન પ્લાન્ટ અને મિસાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યું છે.
13 જૂને ઇઝરાયેલે ચાલુ કરેલા હવાઇ હુમલામાં ઘણા ટોચના લશ્કરી કમાન્ડર્સ અને પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા છે. ઇરાન અત્યાર સુધી ઓછામાં ઓછા 450 મિસાઇલ અને 1,000 ડ્રોન હુમલા કર્યા છે. વોશિંગ્ટન સ્થિત ઇરાનના માનવાધિકાર સંગઠને જણાવ્યું હતું કે ઇઝરાયેલના હુમલામાં 285 નાગરિકો સહિત ઓછામાં 722 લોકોના મોત થયા અને 2,500થી વધુ ઘાયલ છે.

00000000000000000000000000

હત્યાની ધમકીઓ વચ્ચે ખામેનીએ ઉત્તરાધિકારીની પસંદગી કરી
ઇઝરાયેલ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામૈનની હત્યા કરવાની ધમકીઓ આપી રહ્યું છે ત્યારે ખામૈનીએ તેમના સંભવિત ઉત્તરાધિકારીઓની પસંદ કરી છે, જેમાં તેમના પુત્રનો પણ સમાવેશ થાય છે. બંકરમાં છુપાયેલા ખામૈનીએ સંભવિત ઉત્તરાધિકારી તરીકે ત્રણ મૌલવીઓના નામ આપ્યા હોવાનો અહેવાલ છે. 86 વર્ષીય ખામેની એ શક્યતાથી વાકેફ છે કે ઇઝરાયલ અથવા અમેરિકા તેમની હત્યા કરવાનો પ્રયાસ કરી શકે છે. ખામેનીએ ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા લશ્કરી કમાન્ડરોના સ્થાને નવા કમાન્ડરોની પણ નિમણુંક ચાલુ કરી છે.

LEAVE A REPLY