પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે નેશનલ એસેમ્બ્લીમાં કબૂલાત કરી હતી કે અમેરિકાએ તેના વ્યૂહાત્મક હિતો માટે પાકિસ્તાનનું શોષણ કર્યું હતું અને પછી ટોઇલેટ પેપરના ટુકડાની જેમ ફેંકી દીધું હતું. પાકિસ્તાની પ્રધાન બે અફઘાન યુદ્ધમાં ઇસ્લામાબાદની સામેલગીરીને પણ એક ભૂલ ગણાવી જણાવ્યું હતું કે આજે પાકિસ્તાનમાં રહેલો આતંકવાદ ભૂતકાળની ભૂલોનું પરિણામ છે.
તેમણે કહ્યું હતું કે 1999 પછી અને ખાસ કરીને 11 સપ્ટેમ્બર, 2001ના હુમલા પછી અમેરિકા સાથે ફરીથી જોડાણ કરવાની કિંમત વિનાશક હતી. પાકિસ્તાન સાથે ટોઇલેટ પેપરના ટુકડા કરતાં પણ ખરાબ વર્તન કરાવ્યું હતું અને તેનો ઉપયોગ કોઈ હેતુ માટે કરાયો હતો અને પછી ફેંકી દેવામાં આવ્યો હતો.
સંરક્ષણ પ્રધાને નોંધ્યું હતું કે 2001 પછીના સમયગાળામાં અમેરિકાના નેતૃત્વ હેઠળના અફઘાન યુદ્ધમાં ઇસ્લામાબાદે ફરીથી વોશિંગ્ટન સાથે જોડાણ કર્યું હતું અને તાલિબાનનો વિરોધ કર્યો હતો, પરંતુ અમેરિકા આખરે આ ક્ષેત્રમાંથી ખસી ગયું ત્યારે પાકિસ્તાન લાંબા સમય સુધી હિંસા, કટ્ટરપંથીકરણ અને આર્થિક તાણનો સામનો કરી રહ્યું હતું.
પાકિસ્તાનીઓને જેહાદના બેનર હેઠળ લડવા માટે મોકલવામાં આવ્યા હતા. બે ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર (ઝિયા-ઉલ-હક અને પરવેઝ મુશર્રફ) ઇસ્લામ ખાતર નહીં, પરંતુ મહાસત્તાને ખુશ કરવા માટે અફઘાનિસ્તાનના યુદ્ધમાં જોડાયા હતાં













