વેસ્ટ લંડનમાં આવેલા શ્રી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફર્ડ ખાતે લંડનથી પ્રકાશીત થતા એશિયન મિડીયા ગૃપ દ્વારા પ્રસિધ્ધ થતા ગરવી ગુજરાત સાપ્તાહિક દ્વારા દીપાવલિ વિશેષાંકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસગે તસવીરમાં દેખાઇ રહેલા મંદિરના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કમિટીના સદસ્યો સર્વશ્રી પરેશભાઇ મોદી, શૈલેષભાઈ, ધનસુખલાલ, જયેશ ચોટાઈ, રવિભાઇ કારિયા, મનસુખલાલ મોરજરિયા, કિરણભાઇ સચદેવ, જગદીશભાઇ તન્ના, કીર્તિભાઈ, દિનેશભાઈ તથા રમેશભાઈએ મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો અને દર્શનાર્થીઓને દીપાવલિ વિશેષાંક અર્પણ કર્યા હતા. ગરવી ગુજરાત સાપ્તાહિક દ્વારા મંદિર સંચાલોકોનો સતત સહકાર બદલ આભાર વ્યક્ત કરાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીનફર્ડ સ્થિત શ્રી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર હિન્દુ સમુદાયની સેવાનો પાયાનો પથ્થર બની ગયું છે. સંત જલારામ બાપાના સિદ્ધાંતો દ્વારા સંચાલિત મંદિર નિઃસ્વાર્થ દાનની ભાવના સાથે જરૂરિયાતમંદોને ટેકો આપે છે.

/* */

મંદિરના આઉટરીચનો મુખ્ય ભાગ નિયમિત ખોરાક વિતરણ છે, જેમાં નબળા પરિવારો, વૃદ્ધો અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વ્યક્તિઓને ગરમ ભોજન અને અનાજ-કરિયાણાની સહાય કરવામાં આવે છે. મંદિરના સ્વયંસેવકો તહેવારો અને પડકારજનક સમયમાં કોઈ પણ વ્યક્તિ મદદ વિના ન રહે તેની ખાતરી કરવા માટે અથાક મહેનત કરે છે.

સખાવતી સહાય ઉપરાંત, મંદિર દ્વારા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો, રક્તદાન ઝુંબેશ અને સમુદાયીક મેળાવડા દ્વારા સુખાકારીને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવા પ્રવૃત્તિઓ અને ભાષા વર્ગો દ્વારા વારસાને જાળવવામાં મદદ કરે છે.

ભક્તિ, સેવા અને સમાવેશકતા દ્વારા, શ્રી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફર્ડ આમ જનતાના જીવનને ઉત્થાન આપવા અને વ્યાપક સમુદાયને મજબૂત બનાવી રહ્યું છે.

શ્રી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, 39-45 ઓલ્ડફિલ્ડ લેન સાઉથ, ગ્રીનફોર્ડ, UB6 9LB, ફોન:

020 8578 8088 – www.jalarammandir.co.uk

/* */

LEAVE A REPLY