(Photo by STR/AFP via Getty Images)

સુપરસ્ટાર આમીર ખાને પોતાના લગ્નની 15મી એનિવર્સરી ક્રિસમસના વેકેશનમાં સૌરાષ્ટ્રમાં સાસણ ખાતે પરિવાર સાથે ગીરના જંગલમાં ઉજવી હતી. અનેક ધૂમ મસ્તી સાથે અને ગીતોની રમઝટ વચ્ચે પરિવાર સાથે રજાનો માહોલ ગાળ્યો હતો, સાથે આ તકે તેની સાસણ મુલાકાત ખુબ જ જોરદાર અને અહીના જંગલ અને સિંહોથી પ્રભાવિત બનીને તેના પર ફ્લ્મિ બનાવવા પણ વિચારી શકે છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

ત્રણ દિવસ પરિવાર સાથે સાસણમાં વિતાવી ફ્લ્મિ સ્ટાર આમીરખાન એકદમ ખુશ હતો, પ્રથમ દિવસે બપોરે પોરબંદર ઉતરીને સાંજે સાસણ પહોચ્યા બાદ સવાર સુધી રિસોર્ટમાં જ આરામ કર્યો હતો, બીજા દિવસે સવારે પરિવાર સાથે સિંહ દર્શન માટે જંગલમાં જઇને ૧૩ જેટલા સિંહો નિહાળ્યા હતા, અને રાતે પત્નીને ખુશ કરવા માટે જાતે ફ્લ્મિી ગીતો ગાઈને રોમેન્ટિક માહોલ માણ્યો હતો.

તેણે પરિવાર સાથે રિસોર્ટમાં જ રહીને પોતાની અને પત્ની કિરણરાવની લગ્નની ૧૫ મી લગ્નની વર્ષગાઠ ઉજવી હતી. અહીના ગાઢ જંગલ, જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ, પક્ષીઓ નિહાળીને એકદમ પ્રભાવિત બન્યો હતો, વન અધિકારી ડો.દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે, આમીરખાન સાથેની વાતચીતમાં તેને અહી આવીને ખુબ જ આનંદ થયો હોવાનું જણાવ્યું હતું, સિંહો જોવાનો મોકો મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી, ત્યારે ફેરેસ્ટ અધિકારીઓએ તેમને વાઈલ્ડ લાઈફ્ કન્ઝર્વેશન પર કઈક કરવા માટે વાત કરી હતી ત્યારે તેમણે આ વિષે ફ્લ્મિ બનાવવા વિચારી શકે છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.