લેફ્ટનન્ટ ગવર્નર અરુણા મિલરે મેરીલેન્ડ સ્ટેટ હાઉસમાં 12 ફેબ્રુઆરીના રોજ અન્નાપોલિસમાં ‘વોક ફોર પીસ’નું સમાપન કરનાર ભીખ્ખુ પનાકારના નેતૃત્વમાં બે ડઝન બૌદ્ધ સાધુઓનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે 12,000થી વધુ લોકો એકત્ર થયા હતા. આ બૌદ્ધ સાધુઓ લગભગ 2,300 માઇલની ‘વોક પોર પીસ’ પગપાળા યાત્રા  કરીને તેના અંતિમ પડાવ અન્નાપોલિસ આવ્યા હતા.

વોલંટીયર્સ અને તેમના કૂતરા અલોકા સાથે આ સાધુઓએ ઓક્ટોબર ૨૦૨૫માં ફોર્ટ વર્થથી તેમની યાત્રા શરૂ કરી હતી અને શાંતિ, માઇન્ડફુલનેસ અને કરુણાને પ્રોત્સાહન આપવાના થેરાવાડા બૌદ્ધ ઉપદેશો આપવા અમેરિકાના દસ રાજ્યોમાં પગપાળા પ્રવાસ કર્યો હતો. અન્નાપોલિસમાં તેમને સત્તાવાર ફર્સ્ટ ફેમિલી નિવાસસ્થાને આવકારવામાં આવ્યા હતા.

લેફ્ટનન્ટ ગવર્નર મિલરે આ પ્રસંગને “ઊંડો અને પ્રતીકાત્મક” ગણાવતા કહ્યું હતું કે રાષ્ટ્રની પ્રથમ શાંતિ સમયની રાજધાની – અન્નાપોલિસમાં આ વોકનું સમાપન મેરીલેન્ડના ઇતિહાસમાં અંકિત રહેશે. તો સાધુઓને ગૃહ અને સેનેટ ચેમ્બરમાં લઈ ગયા, જ્યાં તેમને તેમની યાત્રાને માન્યતા આપતા ઔપચારિક ઠરાવ કરાયા હતા.

વેસ મૂર અને ડોન મૂરે બાદમાં ગવર્નમેન્ટ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળનું આયોજન કર્યું હતું જેમાં મેરીલેન્ડના સ્મારક ધ્વજ પિન રજૂ કરવામાં આવ્યા હતા. એન અરંડેલ કાઉન્ટીના એક્ઝિક્યુટિવ સ્ટુઅર્ટ પિટમેન અને સ્થાનિક અધિકારીઓએ 12 ફેબ્રુઆરી 2026 ને “વોક ફોર પીસ ડે” તરીકે જાહેર કર્યો હતો.

ભીખ્ખુ પનાકારના નેતૃત્વમાં, સાધુઓએ જણાવ્યું હતું કે ‘’આ પદયાત્રા દર્શાવે છે કે કેવી રીતે સમગ્ર અમેરિકાના સમુદાયો શાંતિ, કરુણા અને પરસ્પર સમજણના સહિયારા ધ્યેયની આસપાસ એક થઈ શકે છે.’’

આ વોકે સોસ્યલ મીડીયામાં પણ ભારે આકર્ષણ ઉભુ કર્યું હતુ અને સાઘુઓની વોક તથા તેમના પગે પડેલા છાલાના ફોટો વાઇરલ થયા હતા.

LEAVE A REPLY