ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક ફંડના નેતા બદરુદ્દીન અજમલ (ફાઇલ ફોટો) (ANI Photo/ SansadTV)

આસામના રાજકીય નેતા અને જમીયત ઉલેમાના પ્રદેશ અધ્યક્ષ મૌલાના બદરુદ્દીન અજમલે મુસ્લિમ સમુદાયના લોકોને અપીલ કરી છે કે એ તેઓ બકરી ઈદ પર ગાયની કુરબાની આપે નહીં. હિન્દુ સમુદાય ગાયને માતા માને છે અને તેની પૂજા કરે છે.

મુસ્લિમ સમુદાયને અપીલ કરતા બદરુદ્દીન અજમલે ઉમેર્યું કે, ભારત જુદી-જુદી આસ્થા રાખનાર લોકોનો દેશ છે. આ દેશમાં બહુમતી લોકો સનાતની છે. હિન્દુ સમુદાયના લોકો ગાયની પૂજા કરે છે. મોટાભાગના લોકો ગાયને માતા માને છે. ગાયની સાથે હિન્દુ સમુદાયના લોકોની ભાવના જોડાયેલી છે. એટલા માટે ગાયની કુરબાની આપવાથી બચવું. બદરુદ્દીન આસામની ધુબરી લોકસભા સીટના સાંસદ પણ છે, જે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. બદરુદ્દીને કહ્યું કે, સામર્થ્ય રાખનાર મુસ્લિમોની જવાબદારી છે કે એ કુરબાની આપે નહીં. એમાં, ઊંટ, બકરી વગેરે સામેલ કરી શકો છો. પોતાની અપીલ દરમિયાન ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના નેતા બદરુદ્દીન અજમલે જણાવ્યું કે, 2008માં દેવબંદ તરફથી પણ આવી અપીલ કરવામાં આવી હતી. એટલે હું ફરીથી એ જ અપીલનું પુનરાવર્તન કરું છું કે ગાયની કુરબાની આપવાથી બચો, જેથી હિન્દુ સમુદાયના લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે નહીં. અહીંયા નોંધવું રહ્યું કે, આસામ સરકારે ગૌહત્યા અને ગાયની તસ્કરી વિરુદ્ધ કાયદો પણ બનાવ્યો છે.