બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ સંસ્થાનાં ભારત ખાતે આવેલા તમામ મંદિરો હાલના કોરોનાવાયરસને પગલે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લક્ષમાં લઈને આગામી તારીખ 15મી જુન 2020 સુધી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે નહિ.
તે પછી દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ, સાર્વજનિક સ્વાસ્થ્ય અને મંદિરની વ્યવસ્થા વગેરે પરિબળો અંગે પૂર્ણ વિચાર કર્યા પછી જ  દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવશે એમ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે.