બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડણેકરે (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

દમ લગા કે હઇસોની અભિનેત્રી ભૂમિ પેડણેકરે લોકડાઉનમાં માસાહાર છોડીને વેજીટેરિયન બનવાનો નિર્ણય લઇને અમલમાં મુક્યો હતો. જેમાં અભિનેત્રી સફળ થઇ છે. તે હવે સંપૂર્ણ શાકાહારી બની ગઇ છે. તેણે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી હતી. ભૂમિ ક્લાયમેટ ચેન્જ જેવા કામ સાથે જોડાઇ હોવાથી તેનામાં પરિવર્તન આવ્યું હોવાનું તેણે જણાવ્યું હતું.

ભૂમિએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હું ઘણા વરસોથી વેજિટેરિયન બનવા ઇચ્છતી હતી. પરંતુ વરસો જૂની આદતો છોડવી સહેલી નથી. ક્લાયમેટ ચેન્જના ક્ષેત્રમાં કામ કરતાં કરતાં મને ઘણું બધુ શીખવા મળ્યું છે અને હવે મને માંસાહારી વાનગીઓ ખાવાનું મન થતું નથી. અભિનેત્રીએ વધુમાં લખ્યું છે કે, લોકડાઉનમાં મેં આ નિર્ણય લીધો છે.હું આ કામ ઘણા સમયથી કરવા ઇચ્છતી હતી પરંતુ કરી શકતી નહોતી. અંતે એક દિવસમેં મારા પરિવારને કહ્યું હતું કે હવે હું માંસાહાર છોડી રહી છે. આ વાતને ઘણા મહિના થઇ ગયા છે. મને કોઇ તકલીફ નથી થતી એટલું જ નહીં મને બહુ સારુ લાગી રહ્યું છે. હવે હું કોઇ અપરાધ બોજથી નથી પીડાઇ રહી અને શારિરીક રીતે પોતાને વધુ સારી માની રહી છું. આ પહેલા શાહિદ કપૂર, કરીના કપૂર ખાન, અનુષ્કા શર્મા, આમિર ખાન, કંગના રનોત શિલ્પા શેટ્ટી જેવી અનેક સેલિબ્રિટિઓ માંસાહાર ત્યજીને શાકાહારી બની