ભાજપે શુક્રવારે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું હતું. આ પદ માટે 19 જાન્યુઆરીએ નોમિનેશન દાખલ કરાશે અને બીજા દિવસે નવા અધ્યક્ષનું નામ જાહેર કરાશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ નીતિન નવીન રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાય તેવી શક્યતા છે.
ભાજપના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર કે લક્ષ્મણ દ્વારા જાહેર કરાયેલ સંગઠનાત્મક ચૂંટણી કાર્યક્રમ મુજબ પક્ષના વડાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર 19 જાન્યુઆરીના રોજ બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે દાખલ કરી શકાય છે અને તે જ દિવસે સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાય છે.ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૯ જાન્યુઆરીએ સાંજે ૪ થી ૫ વાગ્યા દરમિયાન કરવામાં આવશે. જરૂર પડ્યે ૨૦ જાન્યુઆરીએ મતદાન થશે અને તે જ દિવસે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નબીનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત પક્ષના નેતૃત્વ આ પદ માટે તેમની ઉમેદવારીને સમર્થન આપશે.
છેલ્લાં કેટલાક સમયથી ભાજપ પોતાના નવા રાષ્ટ્રીય પ્રમુખની શોધખોળ કરી રહ્યું છે. 2024માં તત્કાલિન રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. જોકે, હવે તાજેતરમાં ભાજપ દ્વારા નીતિન નબીનને કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નીતિન નબીન બિહારમાં ભાજપના અનુભવી અને મજબૂત નેતા છે. છેલ્લાં 25 વર્ષથી તેઓ પટનાની બાંકીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યાં છે. બિહારની રાજનીતિમાં તેમને બહોળો અનુભવ છે. સૌમ્ય સ્વભાવ ધરાવનારા નીતિન નબીને જનતાની વચ્ચે પહોંચીને અનેક વિરોધો હોવા છતાં જનતા સાથે હળીમળીને સન્માન પણ આપે છે. સાત વખતના વિધાનસભ્ય રહી ચૂકેલા પિતા નવીન કિશોર સિંહનો વારસો પણ જાણવી રાખ્યો છે.













