
નૌકાદળના વડા (CNS) એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ બુધવારે ગુજરાતના લોથલ ખાતે બની રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની મુલાકાત લીધી હતી.સંરક્ષણ પીઆરઓના એક પ્રકાશનમાં જણાવાયું છે કે એડમિરલ ત્રિપાઠીએ નિર્માણાધીન NMHCનું નિરીક્ષણ કર્યું હતું, જે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસા અને તેના નૌકાદળના વિકાસને પ્રદર્શિત કરશે, અને તેમને સંકુલનો વ્યાપક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.
તેમણે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધાર્યા હતા. પ્રોજેક્ટનો તબક્કો 1A 2025 ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તેમણે લોથલ ખાતે ઐતિહાસિક પુરાતત્વીય સ્થળની પણ મુલાકાત લીધી હતી. ૪૦૦ એકરમાં ફેલાયેલું આ કોમ્પ્લેક્સ વિશ્વના સૌથી મોટા દરિયાઈ સંગ્રહાલયોમાંનું એક હશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસા અને તેના નૌકાદળના વિકાસને પ્રદર્શિત કરવાનો છે, જેમાં ભારતીય નૌકાદળના વિકાસને સમર્પિત ગેલેરીઓ સહિતની આકર્ષક ગેલેરીઓ શામેલ છે,
