Bengaluru: Security personnel carry out a flag march in the riot-hit area after a mob went on a rampage on Tuesday over a social media post, allegedly posted by a Congress MLA's relative, in Bengaluru, Thursday, Aug. 13, 2020. (PTI Photo/Shailendra Bhojak)(PTI13-08-2020_000125B)

બેંગ્લુરૂમાં સોશિયલ મીડિયા પર મોહમ્મદ પયગંબર સાહેબ વિરૂદ્ધ લખાયેલી એક પોસ્ટના પગલે બેંગ્લુરૂના ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મંગળવારે મોડી રાતે ભારે કોમી હિંસા ભડકી ઊઠી હતી. હિંસા એટલા ભયાનક પ્રમાણમાં ફાટી નીકળી કે આ વિસ્તારમાં તુરંત કર્ફ્યુ લગાવી દેવાયો હતો અને બેંગ્લુરૂમાં લાગુ કરાયેલી કલમ 144 ગુરૂવારે પણ લંબાવાઈ હતી.

સ્થિતિ પર નિયંત્રણ  મેળવવા પોલીસે ગોળીબાર કરવો પડયો, જેમાં બે વ્યક્તિના ઘટના સૃથળે મોત નીપજ્યાં હતાં. આ હિંસામાં 60થી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનામાં એસડીપીઆઈના નેતા સહિત 146ની ધરપકડ કરી છે.

બેંગ્લુરૂમાં સિૃથતિ પર નિયંત્રણ રાખવા માટે સીઆરપીએફ અને સીઆઈએસએફની કેટલીક કંપનીઓ તૈનાત કરાઈ છે. કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ આ ઘટના પાછળ જવાબદાર લોકો વિરૂદ્ધ આકરી કાર્યવાહીના સંકેત આપ્યા છે. કર્ણાટકના મંત્રી સીટી રવિએ કહ્યું કે રમખાણઓ પૂર્વનિયોજિત હતા. રમખાણોમાં 300થી વધુ વાહનો સળગાવાયા હતા. ઉત્તર પ્રદેશની જેમ શહેરમાં રમખાણ કરનારા લોકોની સંપત્તિઓમાંથી જાહેર સંપત્તિને થયેલા નુકસાનની વસૂલાત કરવામાં આવશે.

બેંગ્લુરૂમાં કોંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજાએ ફેસબૂક પર મોહમ્મદ પયગંબર સાહેબ પર આપત્તિજનક પોસ્ટ કરી હતી. જોકે, ત્યાર પછી તેણે આ પોસ્ટ ડીલીટ કરી નાંખી હતી. જોકે, કિથત ઉશ્કેરણીજનક પોસ્ટ અંગે ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના બેંગ્લુરૂ સિૃથત આવાસ બહાર મોટી સંખ્યામાં ટોળું એકત્ર થવા લાગ્યું, જેણે મૂર્તિના નિવાસ પર હુમલો કર્યો અને ભારે તોડફોડ કરી.

આ દરમિયાન ટોળાને અટકાવનારી પોલીસ પર પણ ભારે પથૃથરમારો કરવામાં આવ્યો હતો, જેમાં 60થી વધુ પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. આખરે પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ગોળીબાર કરવો પડયો અને ત્યાર પછી આ વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવાયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના ધારાસભ્ય મૂર્તિના ભત્રિજાએ દાવો કર્યો હતો કે તેનું ફેસબૂક એકાઉન્ટ હેક થઈ ગયું હતું. તેણે પયગંબર વિરૂદ્ધ કોઈ પોસ્ટ કરી નથી. બીજીબાજુ કેટલાક સંગઠનોએ ડીજે હલ્લિ પોલીસ સ્ટેશનમાં મૂર્તિના ભત્રીજા વિરૂદ્ધ કિથત ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. દરમિયાન ટોળાએ ધારાસભ્યના ઘરની સાથે ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો.

પોલીસે ભીડને હટાવવા ટીયરગેસના શૅલ છોડયા હતા. અચાનક ફાટી નીકળેલી આ હિંસામાં પોલીસ કર્મચારીઓને પણ નિશાન બનાવાયા હતા. બેંગ્લુરૂ સિટી પોલીસ કમિશનર કમલકાંતે જણાવ્યું કે ફેસબૂક પોસ્ટ વાઈરલ થયા પછી લોકો આ વિસ્તારમાં એકત્ર થવા લાગ્યા હતા. અમારા અિધકારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કરી રહ્યા હતા. પરંતુ પાછળથી તેઓ પથૃથરબાજી કરવા લાગ્યા. તેમણે 300થી વધુ વાહનોમાં આગ લગાવી દીધી.

હિંસા ફાટી નિકળ્યા પછી મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ જણાવ્યું કે ગુનેગારો વિરૂદ્ધ આકરાં પગલાં લેવાનો આદેશ આપી દેવાયો છે અને સિૃથતિ પર નિયંત્રણ મેળવવા માટે સરકાર બધા જ પગલાં ઉઠાવશે. હિંસાની ટીકા કરતાં કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી. કે. શિવકુમારે જણાવ્યું કે અમારો પક્ષ આ ઘટનાની આકરી ટીકા કરે છે. મેં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. અમે શાંતિ અને સદ્ભાવના જાળવી રાખવા માટે સરકારને સંપૂર્ણ સમર્થન આપીશું.