Getty Images)

ભારતમાં સતત ત્રીજા દિવસે 50000ની નજીક નવા કેસ નોંધાતા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો 14 લાખને ઓળંગી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 49931 કેસ નોંધાતા કુલ કેસ 1435453 થઈ ગયા છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 31991 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 917568 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 708 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 32771 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 485114 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે 375799 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે 13656 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 213723 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 3494 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 130606 કેસ નોંધાયા છે જ્યારે 3827 લોકોએ જીવ ગુમાવ્યા છે.

કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્ર પ્રદેશમાં 96298 કેસ નોંધાયા છે જ્યારે 1041 લોકો મોતને ભેટ્યા છે. ત્યારબાદ પાંચમાં સ્થાન પર કર્ણાટકમાં અત્યાર સુધીમાં 96141 કેસ નોંધાયા છે જ્યારે 1878 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ 66988 કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે 58718 કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. ગુજરાત આઠમાં ક્રમ પર છે જ્યાં 55824 લોકો સંક્રમણમાં આવ્યા છે ત્માંથી 2326 લોકો મોતને ભેટી ચૂક્યા છે.