(ANI Photo)

ચાલુ વર્ષે એપ્રિલ મે મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેમની સરકારના ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે. નવી દિલ્હીમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોને સંબોધિત કરતાં વડાપ્રધાને ટ્રક અને ટેક્સી ડ્રાઇવરો માટે નેશનલ હાઇવે પર 1,000 આધુનિક આરામગૃહોનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે અમારી સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે તે નિશ્ચિત છે. 2014 પહેલાના 10 વર્ષમાં દેશમાં આશરે 12 કરોડ વાહનોનું વેચાણ થયું હતું. જોકે 2014 પછીથી અત્યાર સુધીમાં દેશમાં 21 કરોડથી વધુ વાહનોનું વેચાણ થયું છે. 10 વર્ષ પહેલા લગભગ 2,000 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થતું હતું. હવે 12 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં, પેસેન્જર વાહનોના વેચાણમાં આશરે 60 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારતની પ્રગતિની માહિતી આપતા મોદીએ જણાવ્યું હતું કે આપણે સમુદ્રો અને પર્વતોને પડકાર ફેંકી રહ્યા છીએ અને રેકોર્ડ સમયમાં એન્જિનિયરિંગ ક્ષેત્રની અજાયબીઓનું નિર્માણ કરી રહ્યા છીએ. અટલ ટનલથી લઈને અટલ સેતુ સુધી ભારતનો માળખાગત વિકાસ નવા વિક્રમો સર્જી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં 75 નવા એરપોર્ટ બનાવવામાં આવ્યા છે. આશરે લાખ ગ્રામીણ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

5 × 4 =