Getty Images)

અમિતાભ બચ્ચન છેલ્લાં 12 દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, અભિષેક બચ્ચનના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તેને સાંજ સુધી રજા આપી દેવામાં આવે તેવી શક્યતા છે. 22 જુલાઈના રોજ અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા તથા આરાધ્યાનો કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં અમિતાભ-અભિષેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે.

હાલમાં જ અમિતાભે ચિંતા તથા મુશ્કેલીને લઈ પોતાના વિચારો શૅર કર્યા હતા. તેમણે પોતાની સ્કેચ્ડ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ખામોશી કી તહ મેં છુપા લો સારી ઉલઝનોં કો, શોર કભી મુશ્કિલોં કો આસાન નહીં કરતા.’ અર્થાત્ બધી જ મુસીબતોને ખામોશીના તળમાં છુપાવી લો અને અવાજ ક્યારેય મુશ્કેલીઓને સરળ બનાવી શકે નહીં. 77 વર્ષીય અમિતાભની સાથે તેમનો 44 વર્ષીય દીકરો અભિષેક પણ 12 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. આ બંને ઉપરાંત ઐશ્વર્યા તથા આરાધ્યા પણ હોસ્પિટલમાં કોવિડ 19ની સારવાર હેઠળ છે. તેઓ 17 જુલાઈથી હોસ્પિટલમાં દાખલ છે.