સોમવાર ૨૧ ફેબ્રુઆરીના રોજ ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર હૅરોમાં  ગાયત્રી પરિવાર – હરિદ્વારના સંત આચાર્ય ડો. ચિન્મય પંડ્યાનું શ્રી રાજરાજેશ્વર ગુરુજી દ્વારા સ્વાગત કરાયું હતું.  તેઓ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રો વાઇસ ચાન્સલોર છે. તેમણે સિદ્ધાશ્રમમાં સ્થાપિત લગભગ ૩૦૦ કિલોગ્રામના પારદ શિવલિંગનો અભિષેક કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે હેરોના અજય મારૂ પણ હાજર રહ્યા હતા.