(Photo by Tony Marshall/Getty Images)

ભારતીય ક્રિકેટ બોર્ડે રાહુલ દ્રવિડને ફરી એકવાર ભારતીય ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી સોંપી છે. વન-ડે વર્લ્ડ કપ પછી તેનો હેડ કોચ તરીકેનો કોન્ટ્રાક્ટ પુરો થયો હતો.

માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ બોર્ડે આશિષ નહેરા માટે પ્રયાસ કર્યા હતા, પણ નેહરા જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતો, તેથી દ્રવિડ અને તેના સહાયકોની ટીમને આગામી ટી-20 વર્લ્ડ-કપ સુધી યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો. દ્રવિડની જવાબદારી સાઉથ આફ્રિકાના પ્રવાસથી શરૂ થઈ જશે.

જો કે, દ્રવિડ અને તેની ટીમની આ નવી જવાબદારીની મુદત વિષે બોર્ડે કે દ્રવિડે કોઈ સ્પષ્ટતા કરી નથી, તેથી તેની મુદત હાલ પુરતી અનિશ્ચિત, પણ ઓછામાં ઓછા જુન મહિનામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ સુધીની રહેશે તેવું મનાય છે.

 

LEAVE A REPLY

one × four =