
બિહારમાં આશરે બે દાયકાથી મુખ્યપ્રધાન પદે રહેલા નીતિશકુમારે મંગળવાર, 14 એપ્રિલ 2026ના રોજ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપતા રાજ્યમાં નીતિશ યુગનો અંત આવ્યો હતો. 10 વખત મુખ્યપ્રધાન તરીકેના શપથ લેનારા નીતિશકુમારે તાજેતરમાં રાજ્યસભાના સભ્ય બન્યા છે અને હવે રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય બનશે. હાલમાં બિહારમાં નીતિશકુમારની જનતા દળ (યુનાઇટેડ) અને ભાજપની ગઠબંધન સરકાર છે. બિહારમાં ભાજપના સમ્રાટ ચૌધરીથી મુખ્યપ્રધાન બનશે. તેઓ આવતીકાલે મુખ્યપ્રધાન પદે શપથ લેશે. સમ્રાટ ચોધરી હાલમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન છે.
રાજીનામું આપતા પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી. જેમાં તેઓ ભાવુક થયા હતાં. 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતુ કે હું સત્તામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી મારાથી જ્યાં સુધી થઈ શક્યું ત્યાં સુધી મેં બિહાર માટે કર્યું છે.
આ દરમિયાન બેઠકમાં હાજર રહેલા અન્ય પ્રધાનોની પણ આંખો પણ ભીની થઈ ગઈ હતી. તેમણે રાજ્યમાં નવી સરકારને જ્યાર પણ જરૂર પડશે ત્યારે તેમનું માર્ગદર્શન આપવાની ખાતરી પણ આપી હતી. કેબિનેટ બેઠક બાદ જેડીયુ અને ભાજપના નેતાઓએ નીતીશ કુમારના યોગદાનની પ્રશંસા કરી હતી.
નીતિશકુમારે 1974માં જેપી આંદોલન વખત સક્રિય રાજકારણમાં પ્રવેશમાં પ્રવેશ કર્યો હતા અને 1985માં પહેલીવાર બિહાર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. 1994માં લાલુ પ્રસાદ યાદવ સાથે મતભેદ થતાં જનતા દળથી અલગ થઈને જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે સમતા પાર્ટીની સ્થાપના કરી હતી.
1998થી 2004માં અટલ બિહારી વાજપેયીની સરકારમાં રેલવે પ્રધાન, કૃષિ પ્રધાન જેવા મહત્ત્વના પદો સંભાળ્યા હતાં. 3 માર્ચ, 2000માં પહેલીવાર બિહારના મુખ્યપ્રધાન બન્યા હતાં અને બહુમતી ન હોવાથી માત્ર 7 દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું. જોકે 2005માં ભાજપ સાથે ગઠબંધન કરીને પૂર્ણ બહુમતી સાથે બીજી વાર મુખ્યપ્રધાન બન્યાં હતાં.
2013માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાતા ભાજપ સાથે 17 વર્ષ જૂનું ગઠબંધન તોડ્યું હતું. જોકે 2017માં ભ્રષ્ટાચારના મુદ્દે RJD સાથે છેડો ફાડ્યો હતો અને ફરી ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી.













