ફિનલેન્ડ 9 જૂને ગુજરાતના અમદાવાદમાં એક નવું માનદ કોન્સ્યુલેટ ખોલશે. રાજદૂત કિમ્મો લાહદેવીર્તા આવતા અઠવાડિયે નવા કોન્સ્યુલેટનું ઔપચારિક ઉદ્ઘાટન કરવા માટે ગુજરાતની મુલાકાત લેશે.
ગુજરાત સ્થિત અગ્રણી ઉદ્યોગપતિ કુલીન લાલભાઈને “ફિનલેન્ડના માનદ કોન્સ્યુલ” તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ફિનલેન્ડ અને ગુજરાત વચ્ચે આર્થિક સહયોગને આગળ વધારવા અને ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપવામાં તેઓ મુખ્ય ભૂમિકા ભજવશે.
નિવેદનમાં જણાવાયું છે કે નવા કોન્સ્યુલેટનું ઉદઘાટન “ફિનલેન્ડ-ભારત સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને ડિજિટલાઇઝેશન, શિક્ષણ, ટકાઉપણું અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત અને ગુજરાત સાથે સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ફિનલેન્ડની વધતી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે”
પોતાની નિમણૂક અંગે ટિપ્પણી કરતા લાલભાઈએ કહ્યું હતું કે “ફિનલેન્ડ અને ગુજરાત વચ્ચે અર્થપૂર્ણ સહયોગની ઘણી સંભાવનાઓ છે ત્યારે હું આ ભૂમિકા નિભાવવા માટે ઉત્સાહિત છું. બંને પ્રદેશો નવીનતા, ટકાઉપણું અને શિક્ષણ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરે છે – અને હું આ ક્ષેત્રોમાં આપણા સંયુક્ત પ્રયાસોને વેગ આપવા માટે આતુર છું.”
