પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ફ્રાન્સે ઇસ્લામી ત્રાસવાદ સામે યુદ્ધની જાહેરાત કરી હતી જેને અમેરિકા, યૂરોપના દેશો અને ભારતે પોતાનો ટેકો જાહેર કર્યો હતો. પંદરેક દિવસ પહેલાં એક ઇતિહાસ શિક્ષકની હત્યા થઇ ત્યારે પણ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ એને ઇસ્લામી ત્રાસવાદની ઘટના ગણાવી હતી. ગુરૂવારે ફ્રાન્સના એક ચર્ચમાં ત્રણ વ્યક્તિન હત્યા થઇ હતી.ત્યાર બાદ ફ્રાન્સની સરકારે ઇસ્લામી ત્રાસવાદ સામે લડાઇની જાહેરાત કરી હતી.

ભારતે ફ્રાન્સના ત્રાસવાદ અંગેના કડક વલણને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. વિદેશ મંત્ર્યાલયે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંની વ્યક્તિગત ટીકા કરતા લોકોની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે ત્રાસવાદને કોઇ રીતે સ્વીકારી શકાય નહીં.
યોગાનુયોગે મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન અને કટ્ટરવાદી મુસ્લિમ નેતા મહાતીર મુહમ્મદે એક પછી એક ટ્વીટ કરીને એવો દાવો કર્યો હતો કે મુસ્લિમોને ફ્રાન્સના લોકોને મારવાનો અધિકાર છે. ફ્રાન્સે પોતાના ઇતિહાસમાં લાખો લોકોની હત્યા કરી હતી જેમાં અનેક મુસ્લિમો પણ હતા. મુસ્લિમોને આવા નરસંહારનો બદલો લેવા ફ્રાન્સની પ્રજાને મારવાનો અધિકાર હતો. આ ટ્વીટથી સમગ્ર યૂરોપમાં રોષની લાગણી ફરી વળી હતી.

મહાતીરની સાથે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને તૂર્કીના રાષ્ટ્રપ્રમુખ રજબ તૈયબે પણ ફ્રાન્સમાં ઇસ્લામના નામ પર થઇ રહેલી હત્યાઓ અને હિંસાને વાજબી ઠરાવતી ટ્વીટ કરી હતી. જો કે ઇસ્લામી ત્રાસવાદ સામે ઝુકવાનો ફ્રાન્સે સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો અને એની સામે લડવાની જાહેરાત કરી હતી.