ગુજરાતના પ્રધાન બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની શનિવારે રૂ.71 કરોડના મનરેગા કૌભાંડમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરાઈ હતી. આ કૌભાંડમાં કામ પૂરું કર્યા વિના કે માલ સપ્લાય કર્યા વિના સરકાર આ યોજનાને પૈસા લેવામાં આવ્યાં હતાં. પોલીસે દાહોદ જિલ્લામાં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી (TDO) દર્શન પટેલની પણ ધરપકડ કરી હતી, જેના કારણે અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા સાત થઈ ગઈ હતા.

દેવગઢબારિયા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા બચુભાઈ ખાબડ રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ પ્રધાન છે. આ કથિત કૌભાંડમાં ૩૫ એજન્સીઓના માલિકોએ સરકારી અધિકારીઓ સાથે મળીને ૨૦૨૧થી ૨૦૨૪ દરમિયાન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી ધારા (મનરેગા) યોજના હેઠળ ચુકવણી મેળવવા માટે બનાવટી કાર્ય પૂર્ણતા પ્રમાણપત્રો અને અન્ય પુરાવા રજૂ કરીને ૭૧ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બળવંત ખાબડ આ એજન્સીઓમાંથી એકના માલિક છે, જેના પર આદિવાસી પ્રભુત્વ ધરાવતા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા હેઠળના વિસ્તારોમાં મનરેગાના કામોમાં છેતરપિંડી કરવાનો આરોપ છે.

જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (DRDA) દ્વારા રૂ.૭૧ કરોડના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ પોલીસે ગયા મહિને સરકારી કર્મચારીઓ સહિત અજાણ્યા વ્યક્તિઓ સામે છેતરપિંડી, બનાવટી અને વિશ્વાસઘાતના આરોપસર FIR નોંધી હતી.FIRમાં જણાવાયું છે કે ક્ષેત્રીય મુલાકાતો દરમિયાન, RDA અધિકારીઓને જાણવા મળ્યું કે જે રસ્તાઓ બનાવવામાં આવ્યા ન હતા પરંતુ ચુકવણી મેળવવા માટે કાગળ પર પૂર્ણ થયેલા દર્શાવવામાં આવ્યા હતા, તેના માટે કોન્ટ્રાક્ટરોને ચૂકવણી કરવામાં આવી હતી.


Warning: A non-numeric value encountered in /home2/aj123/public_html/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 308

LEAVE A REPLY