(PTI Photo)

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના રાજકોટ શહેરમાં શનિવાર, 14 જૂને અડધો દિવસ બંધ પાળવામાં આવ્યો હતો.

રાજકોટ રૂપાણીનું વતન છે. એક સામાન્ય ભાજપ કાર્યકરમાંથી, તેઓ રાજકોટ પશ્ચિમથી બે વખત કાઉન્સિલર, મેયર, ધારાસભ્ય અને પછી 2016થી 2021 દરમિયાન બે વખત મુખ્યમંત્રી બન્યાં હતાં.

તેમના અકાળ અવસાન પર શોક વ્યક્ત કરવા માટે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ વેપારીઓ, દુકાનદારો અને વાણિજ્યિક સંસ્થાઓના માલિકોને શનિવાર બપોર સુધી તેમના વ્યવસાયો બંધ રાખવા અપીલ કરી હતી. તેના પગલે રાજકોટ શહેરમાં બપોર સુધી વ્યવસાયો અને સંસ્થાઓ બંધ રહી હતી, જેમાં 600 ખાનગી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓનો પણ સમાવેશ થાય છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments