ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલે હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં કરાયેલા આક્ષેપોના કેસમાં મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીના ભૂતપૂર્વ વડા માધબી પુરી બુચને ક્લીન ચીટ આપી હતી. માધબી પુરી બુચ વિરુદ્ધ થયેલી અયોગ્યતા તથા હિતોના ટકરાવ સંલગ્ન ફરિયાદોમાં તપાસ વોરન્ટ ઈશ્યુ કરવા માટે પુરતા પુરાવા ના મળતા લોકપાલે ફરિયાદો રદ કરી હતી.
લોકપાલે જસ્ટિસ એ એમ ખાનવિલકરની અધ્યક્ષતા હેઠળની છ સભ્યોની ખંડપીઠે તેના આદેશમાં જણાવ્યું કે હતું કે આરોપો ‘અનુમાન તથા ધારણાઓ’ આધારિત છે. ભ્રષ્ટાચાર નિવારણ ધારા, 1988 હેઠળ તપાસ માટે પુરાવાનો અભાવ જણાયો હતો.
૧૦ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ પ્રકાશિત થયેલા તેના અહેવાલમાં,હિન્ડનબર્ગ રિસર્ચે આરોપ લગાવ્યો હતો કે બુચ અને તેના પતિનો અદાણી જૂથ સાથે સંકળાયેલા કથિત મની-સાઇફનિંગ કૌભાંડમાં ઉપયોગમાં લેવાતા અસ્પષ્ટ ઓફશોર ફંડ્સમાં હિસ્સો હતો.૨ માર્ચ, ૨૦૨૨ના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના વડા તરીકે કાર્યભાર સંભાળનાર બુચે આ વર્ષે ૨૮ ફેબ્રુઆરીના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પદ છોડ્યું હતું.
