અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓનું ખુલ્લામાં સમર્થન કરનારા પાકિસ્તાનનના વડાપ્રધાન ઇમરાન ભગવાન બુદ્ધનો ફોટો ટ્વીટ કરતાં બરાબરના ટ્રોલ થયા હતા. ઇમરાનને પર્વત પર કોતરવામાં આવેલી ભગવાન બુદ્ધની તસ્વીર ટ્વીટ કરી હતી.

ઇમરાન ખાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સ્વાત ઘાટીના જહાનાબાદ સ્થિત આ આકૃતિ બુદ્ધની સૌથી મોટી પર્વતો પર કોતરવામાં આવેલી આકૃતિઓ પૈકીની એક છે. આ આશરે 2000 વર્ષ જૂની છે. આ ટ્વીટને કારણે ભારતમાં સોસિયલ મીડિયામાં ઇમરાન ખાનને ટ્રોલ કરવામાં આવ્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે આ મૂર્તિને તાલિબાની મિત્રોની જેમ તોડી ન નાંખતા

ઇમરાનના આ ટ્વીટનો જવાબ આપતા ભારતના વિકાસ પાંડેએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હવે તેને તોડી ન નાંખતા. આ આખરે તો તમારા ઇતિહાસનો હિસ્સો છે. વિનીત નામના યુઝરે લખ્યું હતું કે જો આ મૂર્તિ હોત તો તૂટી ગઈ હોત. આ પહાડી આકૃતિ છે તેથી તેને તોડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવો પડે, તેના માટે પૈસા નથી. પૈસા મેળવવા માટે ઇમરાન ખાન આવા ટ્વીટ કરે છે. બીજા યુઝરે સવાલ કર્યો હતો હાલના સમયમાં આ ટ્વીટ કરવાનો અર્થ શું છે.

સ્વપ્નિલ અગ્રવાલ નામના યુઝરે લખ્યું હતું કે ઇમરાન ખાન બુદ્ધની પર્વત પર કોતરવામાં આવેલી આકૃતિ શેર કરે તે સારી બાબત છે. જો તમે ભગવાન બુદ્ધને વાંચશો અને તેમની ઉપદેશનું પાલન કરશો તો તમે લોકો વધુ સારી સ્થિતિમાં આવી શકો છો. ભગવાન બુદ્ધ હંમેશા શાંતિ અને માનવતાનો ઉપદેશ આપતા હતા. તમારો દેશ સમગ્ર દુનિયા માટે આતંકવાદીઓ અને સામુહિક હત્યાકાંડ કરનાર લોકો માટેની ફેક્ટરી છે. ભગવાન બુદ્ધના ઉપદેશોનું પાલન કરો.

ભારતીય યુઝર્સના આ ટ્વીટ પછી પાકિસ્તાનના લોકો ગુસ્સે થયા હતા અને ઘણા જ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.અહીં ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાનના મિત્ર ગણાવાતા તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં બામિયાનની મશહૂર ભગવાન બુદ્ધની મૂર્તિમાં વિસ્ફોટકો મૂકવાનો આદેશ આપ્યો હતો. બલુઆર પથ્થરની આ પ્રાચીન મૂર્તિ એક સમયે ભગવાન બુદ્ધની સૌથી ઊંચી મૂર્તિ હતી. તેને નેસ્તનાબૂદ કરીને તાલિબાને દુનિયાભરને આઘાત આપ્યો હતો. તેનાથી દુનિયાભરના ઇસ્લામિક સ્ટેટ જેવા સંગઠનો માટે તે એક ઉદાહરણ બન્યું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘની આતંકવાદીઓની યાદીમાં સામેલ તાલિબાની નેતા મુલ્લા હસનને ક્રુરતાની તમામ હદો પાર કરીને 2001માં આ મૂર્તિ તોડી નાંખવાનો આદેશ આપ્યો હતો.