નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પાઠ્યપુસ્તકો તૈયાર કરતી સમિતિમાં ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરમેન સુધા મૂર્તિ, સંગીત ઉસ્તાદ શંકર મહાદેવન, અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલ અને અન્ય 16 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

NCERTએ ધોરણ 3 થી 12ના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોને અંતિમ સ્વરૂપ આપવા માટે એક નવી સમિતિની રચના કરી છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિ (NSTC) નામની 19 સભ્યોની ઉચ્ચ સત્તાવાળી સમિતિ નેતૃત્વ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન (NIEPA)ના ચાન્સેલર મહેશ ચંદ્ર પંત કરશે.

અન્ય સભ્યોમાં કેનેડામાં બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેશર સુજાતા રામાદોરાઈ, બેંગ્લોરના પ્રકાશ પદુકોણ બેડમિંટન એકેડેમીના નિર્દેશક યુ. વિમલ કુમાર, આઈઆઈટી ગાંધીનગરમાં વિઝિટિંગ પ્રોફેસર માઈકલ ડેનિનો, હરિયાણાથી સેવાનિવૃત્ત અને કેડર અને પૂર્વ મહાનિર્દેશક હિપા આઈએએસ સુરીના રંજન ભારતીય ભાષા સમિતિના અધ્યક્ષ ચમુ કૃષ્ણ શાસ્ત્રી વગેરેનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

11 + 7 =