NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI5_21_2021_001010001)

ભારતમાં કોરોના વાઇરસના નવા દૈનિક કેસ સતત પાંચમાં દિવસે ત્રણ લાખથી નીચા રહ્યા હતા, જોકે એક દિવસમાં 4,209 લોકોના મોત થયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યું હતું કે છેલ્લાં 24 કલાકમાં 2.59 કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 2.60 કરોડ થઈ હતી. આમાંથી અત્યાર સુધી આશરે 2.27 કરોડ લોકો રિકવર થયા છે. છેલ્લાં 24 કલાકમાં 4,209 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 2,91,331 થયો હતો. કોરોનાનો મૃત્યુદર વધીને 1.12 ટકા થયો હતો. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને આશરે 30.27 લાખ થઈ હતી, જે કુલ કેસના 11.63 ટકા થાય છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 87.25 ટકા થયો હતો.