એર ઈન્ડિયાને રોજનું રૂ. 30-35 કરોડનું નુકશાન (Photo by MONEY SHARMAAFP via Getty Images)

ભારત સરકારે કોરોના વાઈરસના રોગચાળા સામેના જંગમાં 21 દિવસનો રાષ્ટ્રીય લોકડાઉન જાહેર કર્યા પછી તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર પ્રતિબંધ અમલમાં આવ્યો છે. ગુરૂવારે ડીજીસીએ દ્વારા ભારતથી ટેક-ઓફ કરનારી અને ભારતમાં લેન્ડ કરનારી તમામ ઈન્ટરનેશનલ ફલાઈટ્સ ઉપરનો પ્રતિબંધ લંબાવવાની જાહેરાત કરી હતી, તો શુક્રવારે તે પ્રતિબંધ દેશની અંદરની વિમાની સેવાઓ માટે પણ લાગું કરવાની જાહેરાત કરાઈ હતી.

શુક્રવારે ડીજીસીએના ડેપ્યુટી ડાયરેકટર જનરલે જારી કરેલા એક મેમોમાં જણાવ્યું હતું કે, દેશની અંદર તમામ શિડ્યુલ્ડ, નોન-શિડયુલ્ડ તથા ખાનગી વિમાનોના સંચાલન ઉપર પણ પ્રતિબંધની મુદત 31 માર્ચ સુધીની હતી, તે લંબાવીને 14 એપ્રિલ સુધીની કરવામાં આવી છે.

આ સંજોગોમાં જો કે, તમામ એરપોર્ટ્સ કાર્યરત રહેશે અને ડીજીસીએ દ્વારા અપાયેલી ખાસ મંજુરી મુજબની ફલાઈટ્સનું સંચાલન થઈ શકશે તેમજ ભારતીય હવાઈ સીમા ઉપરથી પસાર થતી કોઈપણ આંતરરાષ્ટ્રીય ફલાઈટને પણ ઈમરજન્સી લેન્ડિંગની જરૂર પડે તો તે માટે એરપોર્ટ્સની સેવાઓ પ્રાપ્ય રહેશે.