બ્રિટિશ સરકાર દ્વારા જનરલાઇઝ્ડ સ્કીમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) ટેરિફ લાભ યોજના પાછી ખેંચવાના નિર્ણયથી ચામડા અને કાપડ જેવા ક્ષેત્રોના ભારતીય નિકાસકારોને અસર થઈ શકે છે, તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે.

બ્રિટને 19 જૂનથી જીએસપીને બદલવા માટે એક નવી સિસ્ટમ, ડેવલપિંગ કન્ટ્રીઝ ટ્રેડ સ્કીમ લાગુ કરી છે. તેના કારણે, કાપડ, ચામડાની વસ્તુઓ, કાર્પેટ, આયર્ન અને સ્ટીલની વસ્તુઓ અને રસાયણો સહિતના ક્ષેત્રોને અસર થઈ શકે છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ દ્વારા આ અંગે જણાવામાં આવ્યું હતું કે યુએસ, યુરોપિયન યુનિયન (ઇયુ), ઓસ્ટ્રેલિયા, જાપાન અને અન્ય ઘણા વિકસિત દેશો તેમની જીએસપી યોજનાઓ હેઠળ વિકાસશીલ દેશોને આયાત જકાતમાં છૂટ આપે છે. બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર આવ્યું હોવાથી તેણે તેની જીએસપી યોજના તૈયાર કરી છે. દરેક દેશ ઉત્પાદનોના આધારે એક થ્રેશોલ્ડ સેટ કરે છે અને જો કોઈ દેશની નિકાસ તે થ્રેશોલ્ડ કરતાં વધી જાય તો જીએસપી છૂટછાટો બંધ થઈ જાય છે.

એવી સંભાવના છે કે બ્રિટન આ છૂટછાટો પાછી ખેંચી લેશે કારણ કે બંને દેશો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. જીએસપી રાહતો સામાન્ય રીતે અલ્પ વિકસિત દેશોને આપવામાં આવે છે. ચીનને આવી છૂટ નથી મળતી. ભારતની 2.5 બિલિયન ડોલરની નિકાસ યુકેમાં જીએસપી લાભો માટે હકદાર છે.

LEAVE A REPLY

15 − nine =