Getty Images)

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત આવતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કોવિડ-19ની ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ ઇન્ટરનેશનલ પ્રવાસીઓએ 7 દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન અને 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. આ ઉપરાંત ગુજરાતમાં વિમાનમાર્ગે આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર થર્મલ ચેકીંગ કરવામાં આવશે.

જેમાં ડોમેસ્ટિક પેસેન્જરમાં લક્ષણો નહીં હોય, તો તેને પણ સળંગ 14 દિવસ સુધી જાતે જ પોતાની હેલ્થની ચકાસણી કરવી પડશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું પણ એરપોર્ટ પર થર્મલ ચેકીંગ કરવામાં આવશે અને આ પ્રવાસીઓને 7 દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન રહેવું પડશે. તે પછી પણ 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવાની ફરજ પાડશે.

આ દરમિયાન સતત હેલ્થ ચેકીંગ પણ કરાવવાનું રહેશે. અમદાવાદ સહિત ગુજરાતના એરપોર્ટ પર આવતા તમામ પ્રવાસીઓએ આરોગ્યસેતુ એપ ફરજીયાત ડાઉનલોડ કરવી પડશે. આ પહેલા 25 મેએ દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ સેવા શરૂ થઈ હતી. જેના માટે એરપોર્ટ અથૉરિટી ઑફ ઈન્ડિયાએ ફાઈનલ એસઓપી (સ્ટાન્ડર્ડ પ્રોસીજર) હેઠળ માર્ગદર્શિકા જાહેર કરી હતી.

જેમાં મુસાફરોને કયા નિયમોનું પાલન કરવું પડશે તેના વિશે સમગ્ર માહિતી આપવામાં આવી હતી. ઘરેલુ મુસાફરી માટે પેસેન્જર્સે 2 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવું જરૂરી છે. એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રિનિંગ કર્યા બાદ જ પ્રવેશ મળશે, 14 વર્ષથી વધુ ઉંમરના મુસાફરોના ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજીયાત ​​​ છે.

જો આરોગ્ય સેતુ એપમાં ગ્રીન નહીં દેખાડે તો એન્ટ્રી મળશે નહીં.મુસાફરોએ પોતાના પર્સનલ વાહન કે અધિકૃત ટેક્સી સર્વિસનો ઉપયોગ કરવો પડશે. મુસાફરોએ ટ્રોલીનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડશે, મુસાફરોને લાઈન વગર બોર્ડિંગ પાસ મળશે.