જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 14મી ભારત-જાપાન શિખર બેઠક યોજવા શનિવારથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવશે. . Rodrigo Reyes Marin/Pool via REUTERS

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 14મી ભારત-જાપાન શિખર બેઠક યોજવા શનિવારથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે આ સમીટ શનિવારે યોજાશે. ભારતના વડાપ્રધાન મોદીના આમંત્રણને પગલે જાપાનના પીએમ આવી રહ્યા છે. આ શિખર બેઠક બંને દેશો માટે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરીને તેને વધુ મજબૂત બનાવવાની એક તક છે.