બોલીવૂડમાં જાણીતા કપૂર ખાનદાન રણબીર કપૂર આરકે સ્ટુડિયોને પુનર્જિવિત કરશે તેવી ચર્ચા ઘણા સમયથી થઇ રહી હતી. આ અંગે હવે કરીના કપૂરે સ્પષ્ટતા કરી હતી કે, અત્યારે આરકે સ્ટુડિયો અંગે કોઇ નવી યોજના નથી. આમ, કરીનાએ બોલીવૂડમાં થઇ રહેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું હતું.
એક મીડિયા ઇન્ટર્વ્યૂમાં કરીનાએ કહ્યું હતું, ‘આ તદ્દન ખોટી વાત છે. આ બાબતની ચર્ચા અમારા પરિવારમાં થઇ હતી અને તમામ લોકો કહેતા હતા કે ‘આવું થવાનું નથી’.’ આ નિવેદન સાથે તેણે સ્પષ્ટ કર્યું કે પરિવારનું આરકે સ્ટુડિયો ફરી શરૂ કરવાનું કોઈ આયોજન નથી.
અગાઉ એવી ચર્ચાઓ હતી કે રણબીર કપૂર અને કરિશ્મા કપૂર આરકે સ્ટુડિયોના પુનઃનિર્માણ માટે સક્રીય છે, જેની શરૂઆત રાજ કપૂરે કરી હતી. પરંતુ કરીનાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ તમામ દાવાઓ માત્ર અફવા છે અને તેના માટે પરિવારે કોઈ પ્રક્રિયા કરી નથી.
રણબીર કપૂર અંગે કરીનાએ જણાવ્યું હતું કે, ‘હું માનું છું કે, રણબીર એક્ટિંગ પર સંપૂર્ણ ધ્યાન આપે છે. તેને અભિનય ખૂબ પસંદ છે. મારી માન્યતા મુજબ, આજે ભારતમાં તે શ્રેષ્ઠ અભિનેતા છે. તેથી તેનું ફોકસ એનાં જ પર છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે, આરકે સ્ટુડિયો હિન્દી સિનેમાના ઇતિહાસમાં ખાસ સ્થાન ધરાવે છે, કારણ કે તે અનેક યાદગાર ફિલ્મો અને કપૂર પરિવારના ફિલ્મી વારસાથી જોડાયેલો છે.














