Suspicious death of second Gujarati student in Toronto in a month
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નવસારીના પીઢ કોંગ્રેસી અને આંધ્રપ્રદેશના માજી ગવર્નર ગાંધીવાદી કુમુદબેન જોષીનું સોમવારે લાંબી માંદગી બાદ 88 વર્ષની જૈફ વયે તેમના નિવાસસ્થાન ગણદેવીના ધનોરી ચાંગા ગામે અવસાન થયું હતું. કુમુદબેન જોશીના નિધનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

તેઓ છેલ્લા 2 વર્ષથી પેરાલિસિસને લીધે પથારીવશ હતા. આજીવન અપરિણીત કુમદુબેનની સાદગી અને નખશિખ પ્રામાણિકતાથી તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પણ પ્રભાવિત થઈ ગયા હતા. ગણદેવીના ધનોરી (ચાંગા) ગામના મૂળ વતની કુમુદબેન જોષીનો જન્મ 1934માં થયો હતો. નવસારી જિલ્લામાંથી સૌપ્રથમ વખત આંધપ્રદેશના રાજ્યપાલ તરીકે પીઢ ગાંધીવાદી કુમુંદબેન જોષીની વરણી થઇ હતી. તેમણે ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે તથા ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન તરીકે પણ કાર્યભાળ સંભાળ્યો હતો.

30 વર્ષની ઉંમરે સક્રિય રાજકારણમાં એન્ટ્રી લીધી હતી અને 34 વર્ષની વયે તેઓ સાંસદ બન્યા હતા. રાજ્યપાલ પદ બાદ 1990માં રાજીવ ગાંધીના આગ્રહથી ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસમાં પ્રમુખ બન્યા હતા. અને 3 ટર્મ સાંસદ રહ્યા છતાં તેમની પાસે પોતાનું ઘર કે ગાડી ન હતી. તેઓ અત્યંત સાદગીમય જીવન વીતાવતા હતા. કુમુદબેન જોષી રાજ્યમાંથી સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા.

કેન્દ્રિય પ્રધાનમંડળમાં 1980થી 82 સુધી માહિતી અને પ્રસારણ પ્રધાન તેમજ 1994 સુધી તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન તરીકે પદભાર સંભાળી ચૂક્યા હતા. 26 નવેમ્બર 1985 થી 7-ફેબ્રુઆરી 1990 સુધી આંધ્રપ્રદેશના બીજા મહિલા રાજ્યપાલ બન્યા હતા.